લોકવિદ્યાની વિભાવના

Vol-4 | Issue-6 | June 2019 | Published Online: 12 June 2019    PDF ( 430 KB )
Author(s)
ડો. પંકજ આર. પટેલ 1

1આસી. પ્રોફેસર, ગુજરાતી, આર્ટસ કોલેજ, ભીલડી, ગુજરાત.

Abstract

પશ્ચિમના દેશોમાં ૧૭ મી ૧૮મી સદીથી શરૂ થયેલ જુદી-જુદી વિદ્યાશાખાઓમાં લોકવિદ્યા એ મહત્વની વિદ્યાશાખા છે. છેલ્લા ૩૦૦ વર્ષમાં લોકવિદ્યા વિશે ઘણું સંશોધન થયું છે. તેથી તેની વિભાવના પણ સતત બદલાતી રહી છે. લોકસાહિત્ય એ લોકવિદ્યાનો એક ભાગ છે. લોકવિદ્યા એ પરંપરાગત જ્ઞાનનું એક નવું ક્ષેત્ર છે, જે ૧૯ મી સદીથી ઉદય પામ્યું છે. તેમાં મૌખિક પરંપરા એનું મહત્વનું તત્વ છે. પેઢી દર પેઢી વારસાગત એ પ્રક્રિયા નિરંતર ચાલી આવે છે. જેમાં લોકમાનસનું પ્રતિબિંબ ઝિલાયેલું હોય છે. આપણી લોકવિદ્યામાં સૌ પ્રથમ અંગ્રેજોને રસ પડયો. અંગ્રેજોના આગમન પછી લોકવિદ્યાના અભ્યાસની શરૂઆત થઇ. લોકવિદ્યા એ લોકજીવનની સામગ્રી છે.

Keywords
વિભાવના, પરંપરા, પ્રતિબિંબ, લોકવિદ્યા
Statistics
Article View: 1012