નમસ્તે કોરોના : મૂલ્ય શિક્ષણના વિશેષ સંદર્ભે

Vol-5 | Issue-3 | March-2020 | Published Online: 16 March 2020    PDF ( 322 KB )
DOI: https://doi.org/10.5281/zenodo.3813566
Author(s)
Dr. Ashokkumar B. Makwana 1

1I/C Principal, Late M. C. Parmar B.Ed. College, Khatamba, Khatamba, Waghodiya Road, Vadodara, Gujarat (India)

Abstract

આજે વિશ્વ આખું જે મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે તેનું નામ છે – કોરોના. આ ભયંકર વાયરસે આજે લાખો લોકોના જીવ લઈ લીધા છે. એ બાબત સર્વવિદિત છે કે ચીન દેશના વુહાન શહેરમાંથી આવેલ આ વાયરસે વિશ્વના આશરે ૧૮૯ દેશોમાં પોતાનો અડ્ડો જમાવી દીધો છે. ઈતિહાસ સાક્ષી છે કે છેલ્લા ૪૦૦ વર્ષમાં આવી વૈશ્વિક મહામારી થયેલ છે. ઈતિહાસ તો ભૂતકાળના પાઠ શીખવે છે, પરંતુ આજે ફેલાયેલ કોરોના વાયરસ વર્તમાન સમયમાં એક પડકાર એટલા માટે બની ગયો છે કારણકે તેની કોઈ રસી કે દવા હજુ સુધી ઉપલબ્ધ થઈ નથી. કોરોના વાયરસનો આકાર બહારથી કાંટાળો હોઈ તેનું નામ કોરોના અપાયું છે. ડરના માહોલમાં લોકો જીવી રહ્યા છે તેના સંદર્ભમાં કહેવાય છે કે ડર કરતાં સાવચેતી જરૂરી છે. શાળા કોલેજના વિદ્યાર્થીઓમાં આવી સાવચેતી શિક્ષણ જ આપી શકે. શું આવી મહામારીનું શિક્ષણ આપી શકાય ? શું સાવચેતી કે સ્વાસ્થ્યનાં મૂલ્યો આવી કે આવનારી અન્ય મહામારીઓ સામે રક્ષણ આપી શકે ? જવાબ છે હા. સાવચેતી રાખવાથી આ વાયરસને નથી શકાય છે તેમજ ભવિષ્યમાં આવનારા સ્વાસ્થ્ય સંબંધી બાબતોના પડકારોને પહોચી વળવામાં વ્યક્તિને સક્ષમ બનાવે છે. પ્રસ્તુત લેખનો ઉદેશ્ય વર્તમાન મહામારી તેમજ આવી અન્ય નાની મોટી પરિસ્થિતિઓ સામે પડકાર બાબતે મૂલ્ય શિક્ષણને જોડવાનો પ્રયત્ન છે.

Keywords
કોરોના, મૂલ્ય શિક્ષણ, વૈશ્વિક મહામારી
Statistics
Article View: 632